Pradhan Mantri Mudra Loan Yojana ખુશ ખબર! હવે બિઝનેસ શરૂ કરવા માટે મળશે ₹10 લાખ સુધીની સહાય મળશે, જાણો શું પ્રોસેસ – Pradhan Mantri Mudra Loan Yojana
Pradhan Mantri Mudra Loan Yojana: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ૮ એપ્રિલ, ૨૦૧૫ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ સ્મોલ/માઈક્રો એન્ટરપ્રાઈઝને (છોટા/લઘુ ઉદ્યોગોને) 10 લાખ રૂપિયા સુધીના લોન પૂરા પાડીને તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે. આ લોનને ‘મુદ્રા લોન’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. મુદ્રા (માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઈનાન્સ એજન્સી) એક રિફાઈનાન્સિંગ સંસ્થા છે, જે સીધા લોન આપતી નથી, પરંતુ બેંકો, NBFC, MFIs વગેરેને રિફાઈનાન્સિંગ આપે છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
PhonePe Personal Loan 2025: PhonePe now offers loans at 0% interest, up to 1 lakh!
લઘુ અને માઈક્રો ઉદ્યોગોને સરળતાથી નાણાકીય સહાય પૂરી પાડવી. રોજગારીના અવસરો વધારવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું. મહિલાઓ, SC/ST, OBC અને નાના વેપારીઓને વિશેષ પ્રાથમિકતા આપવી. નોન-ફાર્મ ક્ષેત્રોમાં આવક વધારવા માટેની પ્રવૃત્તિઓને સમર્થન આપવું.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે પાત્રતા ધોરણ
- નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ સ્મોલ/માઈક્રો એન્ટરપ્રાઈઝ, જેમ કે વેપાર, ઉત્પાદન, સેવા ક્ષેત્રના વ્યવસાયો.
- નવા વ્યવસાય શરૂ કરનારા અથવા હાલના વ્યવસાયને વિસ્તારવા માટેના વ્યક્તિઓ.
- કોઈપણ જાતિ, ધર્મ અથવા વર્ગના વ્યક્તિઓ પાત્ર છે, પરંતુ મહિલાઓ અને નબળા વર્ગોને પ્રાથમિકતા.
- વ્યવસાયમાં આવક ઉત્પન્ન કરવાની અને રોજગાર આપવાની ક્ષમતા હોવી જોઈએ.
- કૃષિ-સંબંધિત પ્રવૃત્તિઓ સિવાયના તમામ નોન-ફાર્મ કાર્યો.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની લોનની રકમ અને કેટેગરીઓ
PMMY હેઠળ ત્રણ કેટેગરીઓમાં લોન આપવામાં આવે છે, જે વ્યવસાયના તબક્કા પર આધારિત છે:
- શિશુ માટે 50,00 રૂપિયા સુધી નવા વ્યવસાયની શરૂઆત માટે, જેમ કે નાનું વેપાર અથવા સ્ટોલ.
- કિશોર માટે 50,001 થી 5 લાખ રૂપિયા વ્યવસાયને વિસ્તારવા માટે, જેમ કે યંત્રો ખરીદી અથવા કર્મચારીઓ માટે .
- તરુણ માટે 5 લાખથી 10 લાખ રૂપિયા વધુ વિસ્તરણ માટે, જેમ કે મોટા સ્કેલના વ્યવસાયો માટે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આઈડી પ્રૂફ આધાર, વોટર આઈડી, પાન કાર્ડ.
- એડ્રેસ પ્રૂફ આધાર, રેશન કાર્ડ.
- બિઝનેસ પ્લાન વ્યવસાયની વિગતો અને અંદાજિત ખર્ચ.
- બેંક સ્ટેટમેન્ટ છેલ્લા ૬ મહિનાનું.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈન અરજી કરવા માટે JanSamarth પોર્ટલ (jansamarth.in) પરથી અરજી કરો. તમારી પાત્રતા તપાસો અને ડિજિટલ અપ્રુવલ મેળવો.
- ઓફલાઈન અરજી કરવા માટે નજીકની બેંક શાખા (SBI, PNB, BoB વગેરે), RRBs, Small Finance Banks, MFIs અથવા NBFCsમાં જઈને અરજી કરો.
- આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નાના વેપારીઓને સ્વાવલંબી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વધુ વિગતો માટે નજીકની બેંકનો સંપર્ક કરો.